

ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઈટર પ્લેનને બીકાનેરના નાલ સ્થિત એરફોર્સ બેઝ પરથી પોતાની છેલ્લી ઉડાન ભરી. આ વિમાનોને 26 સપ્ટેમ્બરે ચંદીગઢમાં આયોજિત ઔપચારિક સેવાનિવૃતિ સમારોહમાં અંતિમ વિદાય આપવામાં આવશે.

મિગ-21ની પ્રતિકાત્મક વિદાયના સમયે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે 18-19 ઓગસ્ટે નાલથી મિગ-21માં એકલા ઉડાન ભરી. આ 62 વર્ષ સુધી વાયુસેનાની સેવા કરનારૂ મૂળ રશિયાનું ફાઈટર જેટ છે અને તેની અંતિમ ઉડાન ઘણી પેઢીઓ માટે ભાવુક ક્ષણ હતી.

એર ચીફ માર્શલ સિંહે પોતાની ઉડાન બાદ કહ્યું મિગ-21 વર્ષ 1960ના દાયકામાં પોતાની શરૂઆતથી જ ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી ફાઈટર વિમાન રહ્યું છે અને આપણે હજુ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઈતિહાસમાં સૌથી વધારે મોટી માત્રામાં નિર્મિત કરવામાં આવેલા સુપરસોનિક ફાઈટર વિમાનોમાંથી એક છે, જેના 11,000થી વધુ વિમાન 60થી વધુ દેશમાં ઉપયોગ કરવામાં આવી ચૂક્યા છે.

એપી સિંહે કહ્યું કે મિગ 21ની સાથે મારો પ્રથમ અનુભવ 1985માં રહ્યો, જ્યારે મેં તેજપુરમાં તેનું ટાઈપ-77 વેરિએન્ટ ઉડાવ્યું. આ એક અદ્ભૂત અનુભવ હતો. તેની ડિઝાઈન સરળ હતી. આ પ્લેનને ઉડાવનારા તમામ લોકો તેને યાદ કરશે.

ઈન્ટરસેપ્ટર તરીકે મિગ-21 શાનદાર રહ્યું છે. તેને ખાસ ઈન્ટરસેપ્ટર કરવા માટે જ બનાવવામાં આવ્યું હતું અને તેની ભૂમિકામાં ભારતની સારી સેવા કરી છે પણ દરેક વસ્તુનો સમય અને સ્થાન હોય છે. આ ટેક્નોલોજી હવે જુની થઈ ચૂકી છે અને તેની રાખવું હવે મુશ્કેલ છે. હવે સમય આવી ગયો છે કે તેજસ, રાફેલ અને સુખોઈ-30 જેવી નવી પેઢીના પ્લેનમાં વધારો કરવામાં આવે.