
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર મંગળવારે ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા હિમાચલ પ્રદેશ અને પંજાબ રાજ્યની મુલાકાત લીધી છે. હિમાચલની મુલાકાત લીધા બાદ વડાપ્રધાને પૂરગ્રસ્ત પંજાબ માટે 1,600 કરોડ અને હરિયાણા માટે 1,500 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર મંગળવારે ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા હિમાચલ પ્રદેશ અને પંજાબ રાજ્યની મુલાકાત લીધી છે. હિમાચલની મુલાકાત લીધા બાદ વડાપ્રધાને પૂરગ્રસ્ત પંજાબ માટે 1,600 કરોડ અને હરિયાણા માટે 1,500 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

આ સાથે મૃતકોના પરિવારો માટે પ્રત્યેકને 2 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. પંજાબની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ સમગ્ર પ્રદેશ અને રાજ્યના લોકોને મદદ કરવા માટે બહુ-પરિમાણીય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વડાપ્રધાને આ દરમિયાન ખેડૂત સમુદાયને મદદ કરવી અત્યંત મહત્વપૂર્ણ માની. આ માટે ખાસ કરીને એવા ખેડૂતોને વધારાની નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે, જેમની પાસે હાલમાં વીજળી કનેક્શન નથી.

રાજ્ય સરકારના ચોક્કસ પ્રસ્તાવ મુજબ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ પ્રોજેક્ટ મોડ પર એવા બોરવેલના સમારકામ માટે મદદ પૂરી પાડવામાં આવશે. જે કાંપથી ભરાઈ ગયા છે અથવા ધોવાઈ ગયા છે. પીએમ મોદીએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.

વડાપ્રધાને હિમાચલની મુલાકાત લીધી અને રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિનો અભ્યાસ કર્યો. ગુરદાસપુરમાં, વડાપ્રધાન મોદીએ પૂરગ્રસ્ત લોકો તેમજ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ટીમોને મળ્યા. વડાપ્રધાને ગુરદાસપુરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક સત્તાવાર બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી.