
પીએમ મોદીએ આજે બનારસથી દેશને નવી ચાર વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ પીએમ મોદીએ બાળકો સાથે વાતચીત કરી હતી. કોઇ પીએમ માટે ચિત્ર લાવ્યું હતું તો કોઇ કવિતા લખીને લાવ્યુ હતું. પીએમ મોદીએ બાળકોના વિચારને સાંભળ્યા અને વિકસિત ભારતમાં બાળકની ભૂમિકા અંગે સમજ આપી.

પીએમ મોદીએ આજે બનારસથી ચાર નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી. ત્યારબાદ બનારસ રેલ્વે સ્ટેશન પર બાળકો સાથે વાર્તાલાપ કર્યો. પીએમ મોદીએ ટ્રેનમાં બેસેલા બાળકો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે બાળકોને તેમના રસના વિષયો તથા ભણતરને લઇને વાતચીત કરી.

પીએમ મોદીએ બાળકો સાથે કેવી રીતે ભણવા પર ધ્યાન આપશો. કેવી રીતે તમે તમારા રસના વિષયમાં આગળ વધશે. જીવનનો ઉદ્દેશ્ય અને ધ્યેય વિશે પણ પીએમ મોદીએ બાળકો સાથે વાતચીત કરી.

ટ્રેનમાં એક બાળક પીએમ મોદી માટે કવિતા લખીને લાવ્યો હતો. પીએમ મોદીને તે કવિતા વાંચી સંભળાવી. પીએમ મોદીએ તેની પ્રશંસા કરી.

પીએમ મોદીએ બાળકો સાથે વિકસિત ભારતમાં બાળકોની શું જવાબદારી છે. તે વિશે સમજ આપી. તેમણે સ્વચ્છતાને લઇને પણ બાળકો સાથે વાત કરી કે કેવી રીતે શહેર અને આસપાસ સ્વચ્છતા જાળવવી.

પ્રધાનમંત્રી મોદીએ ચાર ટ્રેનોને લીલી ઝંડી આપી, જેમાં ત્રણ વર્ચ્યુઅલી છે. નવા રૂટમાં બનારસ-ખજુરાહો, લખનૌ જંક્શન-સહારનપુર, ફિરોઝપુર કેન્ટ-દિલ્હી અને બેંગલુરુ-એર્નાકુલમનો સમાવેશ થાય છે, જે સમગ્ર પ્રદેશોમાં કનેક્ટિવિટીને વધુ વેગ આપે છે.