
વડાપ્રધાન મોદીએ રવિવારે ગુવાહાટી સ્થિતિ સ્વાહિદ સ્મારક ક્ષેત્રમાં અસમ આંદોલનના શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ આંદોલન વિદેશી ઘુસણખોરોની વિરૂદ્ધ 6 વર્ષ સુધી ચાલ્યું હતું. જેમાં 860 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ રવિવારે ગુવાહાટી સ્થિતિ સ્વાહિદ સ્મારક ક્ષેત્રમાં અસમ આંદોલનના શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ આંદોલન વિદેશી ઘુસણખોરોની વિરૂદ્ધ 6 વર્ષ સુધી ચાલ્યું હતું. જેમાં 860 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ સ્મારકનું ઉદ્ઘાટન આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન હિંમત બિસ્વા સરમા સહિત અન્ય વ્યક્તિઓની સાથે વડાપ્રધાન મોદીએ સ્મારકની મુલાકાત લીધી. તેમને શહીદ ગેલેરીનું અવલોકન કર્યું.

જ્યાં આંદોલનમાં પોતાના જીવ ગુમાવનારા લોકોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આંદોલન પહેલા શહીદ ખરગેશ્વર તાલુકદારની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા. તાલુકદારનું મોત 10 ડિસેમ્બર 1979માં થયું હતું. સ્મારકમાં શહીદોની સ્મૃતિમાં એક દીવો હંમેશા પ્રજ્જવલિત રહે છે.

170 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્મારત બનાવવામાં આવ્યું છે, જેમાં તમામ સુવિધાઓ છે. જેમાં જળાશય, ઓડિટોરિયમ, પ્રાર્થના રૂમ, સાયકલ ટ્રેક અને સાઉન્ડ એન્ડ લાઈટ શોની વ્યવસ્થા છે, જે અસમ આંદોલનના અલગ અલગ પહેલુ અને રાજ્યના ઈતિહાસને ઉજાગર કરશે.

આ આંદોલન દરમિયાન મોટા પ્રદર્શન, હડતાળો અને પોલીસ કાર્યવાહી થઈ છે, જેમાં ઘણા લોકો શહીદ થયા છે. આ આંદોલનનું સમાપન 1985માં અસમ કરારની સાથે થયું. જેની પર તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ હસ્તાક્ષર કર્યા હતા.