લેફ્ટનન્ટ કર્નલ દીપિકા ચૌહાણે તેમના પતિ લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) રાજવીર સિંહ ચૌહાણને આંસુભરી વિદાય આપી. નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ રાજવીર સિંહ ચૌહાણનું 15 જૂનના રોજ ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર જયપુરમાં કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રાજવીર સિંહ ચૌહાણ સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ પરથી નિવૃત્ત થયા હતા. થોડા મહિના પહેલાં તેમણે એક ખાનગી હેલિકોપ્ટર સેવા કંપની આર્યન એવિએશન સાથે પાયલટ તરીકે કામ શરૂ કર્યું હતું.






