Indian Railwayમાં જુલાઈ 2025થી નવા નિયમો લાગુ, મુસાફરી કરતા પહેલા જાણી લો

ભારતીય રેલ્વેમાં જુલાઈ મહિનાના આરંભ સાથે નવા નિયમો લાગુ થયા છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે વધુ ખાસ છે. જુલાઈ 2025 થી રેલ્વે મુસાફરો માટે ઘણા મોટા ફેરફારો લાગુ થયા છે. રેલ્વેમાં તત્કાલ ટિકિટથી લઈને વેઇટિંગ લિસ્ટ, ભાડા અને રિઝર્વેશન ચાર્ટ સહિતના 5 નવા નિયમો લાગુ થયા છે. રેલ્વે મંત્રાલય દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા આ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.


[[$ad]]
[[$googlead]]



[[$alsoread]]
  • Follow us on:

રેલ્વેના મુસાફરો માટે મહત્વના સમાચાર

1/7

ભારતીય રેલ્વેમાં જુલાઈ મહિનાના આરંભ સાથે નવા નિયમો લાગુ થયા છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે વધુ ખાસ છે. જુલાઈ 2025 થી રેલ્વે મુસાફરો માટે ઘણા મોટા ફેરફારો લાગુ થયા છે. રેલ્વેમાં તત્કાલ ટિકિટથી લઈને વેઇટિંગ લિસ્ટ, ભાડા અને રિઝર્વેશન ચાર્ટ સહિતના 5 નવા નિયમો લાગુ થયા છે. રેલ્વે મંત્રાલય દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા આ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.



2/7

ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા આ સમાચાર અવશ્ય જાણો. 1 લી જુલાઈ 2025 થી રેલ્વેમાં મુસાફરો માટે ઘણા મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ મહત્વના બદલાવ વિશે જરૂર માહિતી મેળવો.

3/7

રેલ્વેમાં મુસાફરી માટે તત્કાલ બુકિંગને લઈને નિયમ બદલવામાં આવ્યો. 1 જુલાઈ 2025થી રેલ્વેમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે ઈ-આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

4/7

15 જુલાઈ 2025થી રેલ્વેમાં મુસાફરી કરવા તત્કાલ ટિકિટ બુકિંગ માટે OTP-બેઝડ Aadhaar-authentication ફરજિયાત રહેશે. વપરાશકર્તા ટિકિટ બુકિંગ માટે AC કલાસ માટે સવારે 10:00થી 10:30 સુધી અને NoN AC કલાસ માટે સવારે 11:00થી 11:30 સુધી બુકિંગ કરી શકશે. આ પ્રક્રિયામાં હવે એજન્ટ તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકશે નહીં.

5/7

તત્કાલ બુકિંગ માટે બુકિંગના પ્રથમ 10 મિનિટ માટે ફક્ત આધાર લિંક કરેલા વપરાશકર્તાઓ જ ટિકિટ બુક કરી શકશે. આ માટે IRCTC એકાઉન્ટ સાથે તમારું આધાર અવશ્ય લિંક હોવું જોઈએ.

6/7

રેલ્વેના નવા નિયમ મુજબ ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ મૂકાશે, જેથી મુસાફરોને અગાઉથી ખબર પડશે કે તેમની ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પહેલા આ ચાર્ટ 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. જો કે હવે તેમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી બદલાવ કરાયો છે.

7/7

રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા સાથે ટિકિટોને સુરક્ષિત રાખવા અને નકલી બુકિંગ અટકાવવા માટે વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ નવા નિયમ લાગુ થતા ટિકિટ બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને એજન્ટ કૌભાંડ પર નિયંત્રણ આવશે.

Gallery Ads