મુકેશ અંબાણીએ બદરીનાથ અને કેદારનાથમાં દર્શન કરી કર્યું 10 કરોડનું દાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોની મુલાકાત લીધી હતી.

મુકેશ અંબાણી સમિતિના અધિકારીઓને મળ્યા

1/6mukesh ambani


BKTCએ મુકેશ અંબાણીનું સ્વાગત કર્યુ હતુ. અહીં મુકેશ અંબાણીએ 10 કરોડનું દાન કર્યુ હતુ. 

2/6Badrinath Kedarnath Donation

દર્શન દરમિયાન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને કુલ 10 કરોડના બે ચેક અર્પણ કર્યા હતા.

3/6BKTC

આમાં બદ્રીનાથ ધામની વ્યવસ્થા માટે 5 કરોડનો ચેક અને કેદારનાથ ધામ માટે પણ 5 કરોડનો અલગ ચેક આપ્યો હતો. અને સાથે જ રાષ્ટ્રની સમૃદ્ધિ અને સુખાકારી માટે કામના કરી હતી.

4/6reliance industries chairman mukesh ambani

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, અંબાણી પરિવાર ભગવાન શ્રી બદ્રીનાથ અને ભગવાન કેદારનાથમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓએ BKTCને 10 કરોડનું દાન આપ્યું છે. BKTCના ચેરમેને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

5/6Reliance Industries

આ પ્રસંગે બદ્રીનાથ ધામ ખાતે ઉપસ્થિત શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના ઉપાધ્યક્ષ ઋષિ પ્રસાદ સતી, સભ્યો ધીરજ મોનુ પંચભૈયા, રજનીશ ભટ્ટ, મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રંગડ અને અધિકારી ગીરીશ ચૌહાણ, પૂર્વ સભ્ય ભાસ્કર ડીમરી, ધર્માધિકારી સ્વેંદ્ર રાવળ, ભુતપુર્વ સ્વામી, નૈતિક પ્રવૃતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

6/6Mukesh Ambani Dham Visit

અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે. મંદિર સમિતિના અધિકારીઓએ મુકેશ અંબાણીને આવકાર્યા અને તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.

Gallery Ads