
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી RBI દ્વારા સોનું વેચવાના સમાચારો અને દેશના સુવર્ણ ભંડારને લઈને ચર્ચા તેજ છે. સોશિયલ મીડિયા અને વૈશ્વિક બજારોમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા 12 અબજ ડોલરનું સોનું વેચવામાં આવ્યું હોવાના સમાચારો આવ્યા છે. જો કે કેન્દ્રીય બેંક અને ભારત સરકારે આ સમાચારો પર વિરામ લગાવી દીધો છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે દેશનો 880.52 ટનનો ભૌતિક સોનાનો ભંડાર પૂરી રીતે સુરક્ષિત છે અને તેમાં કોઈ ઘટાડો થયો નથી. ભારતમાં સોનાના આ વિવાદને લઈને લોકોના મનમાં એક સવાલ એ ઊઠી રહ્યો છે કે આખરે ભારતમાં સૌથી વધુ સોનું કોની પાસે છે અને શું જરૂર પડ્યે સરકાર તે સોનું પોતાના કબજામાં લઈ શકે છે.

ભારત દુનિયાના સૌથી મોટા સોનાના ઉપભોક્તા દેશોમાં સામેલ છે. અહીં સોનું માત્ર રોકાણનું સાધન નથી પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો પણ ખૂબ મહત્વનો ભાગ માનવામાં આવે છે.

અહેવાલો અનુસાર ભારતીય કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે આશરે 800 ટનથી વધુ સોનું સુરક્ષિત રાખવામાં આવ્યું છે. આ સોનું દેશના વિદેશી હૂંડિયામણ ભંડારનો મહત્વનો ભાગ છે અને આર્થિક સ્થિરતા જાળવી રાખવામાં મદદ કરે છે.

જો કે દેશમાં સૌથી મોટો સુવર્ણ ભંડાર RBI પાસે નથી. ભારતમાં સૌથી વધુ સોનું ભારતીય પરિવારો પાસે છે. અલગ-અલગ અહેવાલો અનુસાર ભારતીય ઘરોમાં આશરે 24,000 ટન સોનું મોજૂદ છે, જે દુનિયાના કોઈપણ દેશના ખાનગી સુવર્ણ ભંડારોમાં સૌથી મોટો માનવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરો સુધી મોટા પ્રમાણમાં સોનું પરિવારો, ખાસ કરીને મહિલાઓ પાસે આભૂષણો અને રોકાણના રૂપમાં રાખવામાં આવે છે.

ભારતમાં જોવા મળતા સોનામાંથી ઘણું બધું સોનું જમીનની નીચે પણ મોજૂદ છે. આઈઆઈએમ અમદાવાદ (IIM Ahmedabad) ના એક્સપર્ટ્સ અનુસાર ભારતમાં જમીનમાં મોજૂદ સોનાના દરેક એક ટનમાંથી માત્ર એકથી ત્રણ ગ્રામ સોનું નીકળે છે.

ભારતમાં સોનાની માગ ખૂબ વધારે છે, જ્યારે સ્થાનિક ઉત્પાદન ખૂબ મર્યાદિત છે. દેશ પોતાની જરૂરિયાતનો મોટો ભાગ આયાત દ્વારા પૂરો કરે છે. આ જ કારણ છે કે ભારત વૈશ્વિક બજારમાં સોનાનો મોટો ખરીદદાર માનવામાં આવે છે.

ભારત આયાત કરેલા સોનાને આભૂષણોના રૂપમાં તૈયાર કરીને દુનિયાના ઘણા દેશોમાં નિકાસ પણ કરે છે. ભારતીય જ્વેલરીની માંગ ખાસ કરીને યુએઈ (UAE), યુનાઇટેડ સ્ટેટ્સ, સિંગાપોર, હોંગકોંગ, યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સ જેવા બજારોમાં રહે છે.