
સામાન્ય રીતે વિટામિન B12 મુખ્યત્વે પ્રાણી મૂળના ખોરાક કે માંસ, માછલી, ઈંડા અને ડેરી ઉત્પાદનોમાંથી મળે છે. શાકાહારી લોકો માટે વિટામિન B12 માટે આહારમાં પણ અનેક વિકલ્પ છે. ફળોમાં વિટામિન B12 બહુ ઓછું હોય છે અથવા બિલકુલ હોતું નથી. કેટલાક એવા ફળો છે જેમાં વિટામિન B12 સારી માત્રામાં હોય છે. તેનું સેવન કરી શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરી શકો છો.

બદામમાંથી મળશે વિટામિન B12. સવારે ખાલી પેટે બદામ ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામના સેવનથી વજન ઓછું થવું, હાડકાનું સારું સ્વાસ્થ્ય, તમારો મૂડ સુધારવો, હૃદયરોગ અને કેન્સરની બીમારીમાં રાહત મળે છે.

પીસ્તા ડ્રાયફ્રૂટ પણ વિટામિન B12નો સારો સ્ત્રોત છે, આ ઉપરાંત તેમાં ફાઈબર, કાર્બ્સ, એમિનો એસિડ, મેગ્નેશિયમ, પોટેશિયમ, થિયામિન, વિટામિન સહિત ઘણાં પોષકતત્વો છે, જે શરીર માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. રોજ એક મુઠી પિસ્તાનું સેવન અનેક બીમારીઓ દૂર રાખશે.

અખરોટમાં વિટામિન B12ની સાથે ઓમેગા-3 પણ સારી માત્રામાં છે. મગજ તેજ કરવા અખરોટનું ખાલીપેટે સેવન કરવાથી ફાયદો થાય છે. પલાળેલા અખરોટ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ ડ્રાયફૂટમાં ચરબી ઓછા પ્રમાણમાં હોવાથી વજન ઉતારવા માટે બેસ્ટ છે.

કેળા એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે, જેને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિટામિન B12 તેમજ પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર છે. સવારે ખાલી પેટે એક પાકેલું કેળું ખાવાથી પોષકતત્વોની ઉણપ દૂર થશે.

નારંગીને વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તેમાં રહેલા તત્વો વિટામિન B12 નું સ્તર વધારવામાં પણ મદદરૂપ થાય છે. સવારે બ્રેકફાસ્ટ કરતા પહેલા અથવા તેની સાથે તાજો નારંગીનો જયુસ પીવાથી લાભ થશે.