અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં આજે ભક્તિમય માહોલ બન્યો છે. જગન્નાથ મંદિર ભક્તિના રંગે રગાયું. અષાઢી બીજના રોજ દરવર્ષે ગુજરાત સહિત ભારતભરમાં રથયાત્રાનું આયોજન થતું હોય છે. જ્યારે આજે અમદાવાદમાં રથયાપા પૂર્વે જળયાત્રાની શોભાયાત્રા યોજવામાં આવી.

અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં આજે ભક્તિમય માહોલ બન્યો છે. જગન્નાથ મંદિર ભક્તિના રંગે રગાયું. અષાઢી બીજના રોજ દરવર્ષે ગુજરાત સહિત ભારતભરમાં રથયાત્રાનું આયોજન થતું હોય છે. જ્યારે આજે અમદાવાદમાં રથયાપા પૂર્વે જળયાત્રાની શોભાયાત્રા યોજવામાં આવી.

આજે જળયાત્રાની શોભાયાત્રામાં 108 કળશમાં સાબરમતીનદીનું જળ મંદિરમાં લાવવામાં આવશે. સાબરમતી નદીનું જળ લાવી ભગવાન પર અભિષેક કરાશે.

જળયાત્રામાં ભગવાનને પવિત્ર નદીના જળથી સ્નાન કરાવવામાં આવે છે. હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાની શરૂઆત થઈ અને બપોર બાદ ભગવાન મોસાળ સરસપુરમાં લઈ જવાશે. અને 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે.

જળયાત્રાની ઢોલ નગારાના તાલે ભાવિક ભક્તોએ શોભાયાત્રામાં આનંદ ઉલ્લાસથી ભાગ લેતા વાતાવરણ ભક્તિમય બન્યું. શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું.

રથયાત્રા પહેલા યોજાઈ રહેલ જળયાત્રામાં સંતો અને મહંતોની પધરામણી થઈ ગઈ છે. સાબરમતી નદીના ભુદરના આરે મહંત દ્વારા ખાસ પૂજન કરવામાં આવ્યું. આ ખાસ અવસર પર રાજકીય નેતા પણ જોડાયા. આ યાત્રામાં ભાજપ નેતા નીતિન પટેલે હાજરી આપી.

જળયાત્રા નિમિત્તે મંદિરમાં આજે જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરાયું છે. આ ભંડારામાં ભક્તોને વિશેષ પ્રસાદ આપવામાં આવ્યો. ભંડારામાં કાળી રોટી અને ધોળી દાળના પ્રસાદનો ભક્તો સહિત સંતો અને મહંતો લહાવો લેતા હોય છે.

જળયાત્રા નિમિત્તે આજે જગન્નાથ મંદિરમાં સાધુ-સંતો અને મહંતોએ હાજરી આપી. આ શુભ અવસર પર સંતોના આગમનથી મંદિરમાં ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું.