વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ બંને એકબીજા ખૂબ જ ખાસ દોસ્ત છે. પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે બંનેની મિત્રતા તૂટવાના આરે હતી. આ વાતનો ખુલાસો એબી ડીવિલિયર્સે કર્યો છે.

વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ બંને એકબીજા ખૂબ જ ખાસ દોસ્ત છે. પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે બંનેની મિત્રતા તૂટવાના આરે હતી. આ વાતનો ખુલાસો એબી ડીવિલિયર્સે કર્યો છે.

વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ બંને ખૂબ જ સારા મિત્રો છે. બંને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે લગભગ 11 વર્ષ સાથે રમ્યાં. પરંતુ એત સમય એવો આવ્યો હતો, જ્યારે બંનેની મિત્રતા તૂટવાના આરે હતી. બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી.

વચ્ચે વાતચીત બંધ થવાનો ખુલાસો એબી ડીવિલિયર્સે કર્યો. એબી ડીવિલિયર્સે જણાવ્યું કે એક સમય એવો આવ્યો કે વિરાટ અને તેની વચ્ચેનું અંતર વધી ગયું હતું. એબી ડીવિલિયર્સે કહ્યું કે લાંબા સમય સુધી વાતચીત બંધ રહ્યા પછી કોહલીએ જ તેમની સાથે વાતચીત શરૂ કરી હતી. તેને કહ્યું કે "આભાર છે કે તેને ફરીથી વાત કરી. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટને સ્વીકાર્યું કે 2024 ની શરૂઆતમાં તેને તે સમયે મોટી ભૂલ કરી હતી."

એબી ડી વિલિયર્સે કહ્યું કે, "તેને અજાણતાં જ તેની યુટ્યુબ ચેનલ પર ખુલાસો કર્યો હતો કે કોહલીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે કારણ કે તેની પત્ની અનુષ્કા શર્મા તેના બીજા બાળકની માતા બનવાની હતી."

એબી ડીવિલિયર્સે આગળ કહ્યું કે "મેં ભૂલ કરી, મારે આ કહેવું જોઈતું ન હતું. મેં મોટી ભૂલ કરી. મેં આપેલી માહિતી ખોટી હતી અને બિલકુલ સાચી ન હતી. પરિવાર પહેલા આવે છે, અને વિરાટ કોહલીને સમય આપવાનો સંપૂર્ણ અધિકાર હતો."

એબી ડીવિલિયર્સે કહ્યું કે "આ ઘટના પછી, અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નહીં. એવું લાગતું હતું કે બધું ખોટું થઈ ગયું છે, પરંતુ લગભગ છ મહિના પહેલા અમે ફરીથી વાત કરવાનું શરૂ કર્યું. હવે અમારી વચ્ચે બધું બરાબર છે."