
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ લાહોર બેઠકમાં ઈમરાન ખ્વાજાની મધ્યસ્થી દ્વારા ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની માંગણીઓ આંશિક રીતે સ્વીકારવામાં આવી હતી.હવે મેચ ઔપચારિક જાહેરાતની રાહ જોઈ રહી છે.ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC T20 વર્લ્ડ કપ મેચને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ, સમાચાર આવ્યા કે પાકિસ્તાન સરકારે ભારત સામેની મેચનો બહિષ્કાર કર્યો છે,અને 9 ફેબ્રુઆરી સુધીમાં,આ મામલો ઉકેલાઈ ગયો છે.ICCએ રવિવારે લાહોરમાં ત્રિપક્ષીય બેઠકમાં PCB અને BCBની કેટલીક માંગણીઓ સ્વીકારી છે.

1 ફેબ્રુઆરી- પાકિસ્તાન સરકારે જાહેરાત કરી કે તેની ટીમ ટુર્નામેન્ટમાં રમશે, પરંતુ ભારત સામે રમશે નહીં. ICCને PCB તરફથી ઔપચારિક પુષ્ટિ ન મળે ત્યાં સુધી, તેણે પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ખસી જાય તો ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. જોકે, પાકિસ્તાન તેના નિર્ણય પર અડગ રહ્યું.

2 ફેબ્રુઆરી - વડાપ્રધાન શાહબાઝ શરીફે બાદમાં જાહેરમાં આ વલણનો પુનરોચ્ચાર કર્યો, જેનાથી બહિષ્કારની ધમકી વર્ચ્યુઅલ રીતે સત્તાવાર બની ગઈ. દસ દિવસથી પણ ઓછા સમય પછી, PCBએ પોતાનું વલણ નરમ કર્યું છે. સોમવારે, તેણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને વિશ્વ ક્રિકેટની સૌથી મોટી હરીફાઈ ફરી શરૂ કરી.

3 ફેબ્રુઆરી - ICC અને PCB વચ્ચે પડદા પાછળની ચર્ચાઓ થઈ. ICCએ આ મુખ્ય ગ્રુપ A મેચ યોજવા માટે તેના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા હતા. ICCના ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજા અને અમીરાત ક્રિકેટ બોર્ડના ચેરમેન મુબાશીર ઉસ્માનીએ PCBના વડા નકવી અને PSLના વડા સલમાન નસીર, નકવીના વરિષ્ઠ સલાહકાર સાથે અનેક ફોન કોલ અને બેઠકો કરી હતી. આ પ્રયાસો એક અઠવાડિયા પહેલા શરૂ થયા હતા અને પાકિસ્તાન સરકારના ટ્વીટ બાદ તે વધુ તીવ્ર બન્યા હતા.

5 ફેબ્રુઆરી - શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ શમ્મી સિલ્વાએ નકવીને પત્ર લખીને ભારત સામેની મેચ છોડી દેવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે આ નિર્ણય શ્રીલંકા માટે ગંભીર આર્થિક સંકટ તરફ દોરી શકે છે, કારણ કે મેચ માટે પહેલેથી જ વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. PCBને શ્રીલંકાના ભૂતકાળના સહયોગની પણ યાદ અપાવવામાં આવી હતી, જેમાં સંવેદનશીલ અને પડકારજનક સમયમાં પાકિસ્તાનનો પ્રવાસ પણ સામેલ હતો.

6 ફેબ્રુઆરી - નકવીએ અહેવાલ મુજબ તેમના શ્રીલંકન સમકક્ષને ખાતરી આપી હતી કે તેઓ પાકિસ્તાની સરકાર સાથે પરામર્શ કર્યા પછી જવાબ આપશે.

7 ફેબ્રુઆરી - T20 વર્લ્ડ કપની શરુઆતમાં નેધરલેન્ડ્સ સામે પાકિસ્તાનની રસાકરીભરેલી જીતના થોડા સમય પછી, PTIના એક અહેવાલમાં એક મોટો ખુલાસો થયો હતો. PCBએ ઔપચારિક રીતે ICCને પત્ર લખીને "ફોર્સ મેજયોર" કલમ લાગુ કરવાની વિનંતી કરી હતી. આ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો પ્રયાસ હતો. ICC અસંતુષ્ટ હતું અને નક્કર કારણો અને પુરાવા માંગ્યા હતા કે તમામ સંભવિત ઉકેલો શોધવામાં આવ્યા છે.

8 ફેબ્રુઆરી - મધ્યસ્થી તરીકે નિયુક્ત થયેલા ખ્વાજા લાહોર પહોંચ્યા અને નકવી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ ઇસ્લામ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક પાંચ કલાકથી વધુ ચાલી હતી, જેમાં પાકિસ્તાને અનેક માંગણીઓ કરી હતી, જોકે કોઈ પણ પક્ષે જાહેરમાં પરિણામ જાહેર કર્યું નહીં.

9 ફેબ્રુઆરી (સાંજે) - નકવી ફરીથી વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મળ્યા અને તેમને લાહોરમાં થયેલી ચર્ચાઓ અને BCB, SLC અને અમીરાત બોર્ડની અપીલો વિશે માહિતી આપી હતી. શરીફે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુઆર કુમારા દિસાનાયકે સાથે પણ ફોન પર વાત કરી, જેમણે પાકિસ્તાન સામે મેચ રમવાની તેમની વિનંતીને પુનરાવર્તિત કરી હતી. પાકિસ્તાન સરકારે પાછળથી સ્પષ્ટતા કરી કે બહિષ્કાર પાછો ખેંચવાનો હેતુ "ક્રિકેટની ભાવનાનું રક્ષણ કરવાનો અને તમામ ભાગ લેનારા દેશોમાં આ વૈશ્વિક રમતની સાતત્યને ટેકો આપવાનો" હતો.