આજે ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ છે. જેમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. તેમાં PM મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો.PM મોદી સતત 11મી વખત તિંરગો લહેરાવ્યો હતો. દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ વચ્ચે લાલ કિલ્લા પર આઝાદીની ઉજવણી થઈ રહી છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે મારી દરેક ક્ષણ દેશ માટે છે. હું ત્રીજી ટર્મમાં ત્રણ ગણી ઝડપે કામ કરીશ. તમે મને જે જવાબદારી સોંપી છે તે હું નિભાવીશ. હું પડકારોથી ડરતો નથી. હું તમારા સારા ભવિષ્ય માટે છું. પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા હતા અને તેઓ અહીં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]


























