બુધવારે મોડી રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને વિનાશ મચાવ્યો હતો. આ હુમલો ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરના નામે કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન મુદ્રિકે, બાગ, કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુરમાં મિસાઇલો છોડવામાં આવી હતી આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરાયા છે. આતંકવાદીઓના કુલ 9 જેટલા કેમ્પને ટાર્ગેટ કરીને લગભગ 30 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે. પહેલગામ હુમલા બાદ ભારતીયો પાકિસ્તાન પર હુમલાની માંગ કરી રહ્યા હતા. ભારતે આજે એર સ્ટ્રાઈક કરીને પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો છે. આ તમામની વચ્ચે ભારતની જુદી-જુદી પાર્ટીઓના રાજનેતાઓની પ્રતિક્રીયાઓ સામે આવી છે. જુઓ, કોણે શું કહ્યું
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]






