5 જૂનને વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણીય જોખમો અને તેનાથી જે કોઈ નુક્શાન થતાં હોય છે તે કેવી રીતે આપણે અટકાવી શકીએ તેના અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવમાં સાથેના ઉદ્દેશ્ય સાથે વિશ્વ પર્યાવરણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1974માં પહેલી વખત વિશ્વ પર્યાવરણીય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે ગતરોજ એટલે કે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 10000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્ય મહેમાન તરીકે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રી રાહુલભાઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે જ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ અને FICCI ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.








