• વડોદરાના દંતેશ્વરના બે યુવાનો કોલેરાની ઝપટમાં
  • વડોદરામાં કોલેરાના દર્દીની સંખ્યા પહોંચી 11 પર
  • શંકાસ્પદ ચાંદીપુરાના બે બાળ દર્દી સારવાર હેઠળ

વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગે શંકાસ્પદ કોલેરાના આઠ દર્દીના સેમ્પલ મોકલ્યા હતા લેબોરેટરીમાં જેમાં દંતેશ્વરના 28 અને 32 વર્ષીય યુવાનોનો કોલેરા રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ.એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના બાળ દર્દીને અપાઈ રહી છે સારવાર.તો શંકાસ્પદ ચાંદીપુરાને લઈ અન્ય 14 દર્દીઓ પર સારવાર લઈ રહ્યાં છે.

વડોદરામાં રોગચાળો વધ્યો

વડોદરા શહેરમાં રોગચાળાએ માથુ ઉચકયુ છે.શહેરમાં દૂષિત પાણી આવવાને લઈ શહેરના પૂર્વ વિસ્તારમાં રોગચાળો વધ્યો છે,શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ કોલેરાની સારવાર લઈ રહ્યાં છે.કોર્પોરેશન દ્રારા શહેરમાં અલગ-અલગ જગ્યાઓ પર પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે,સાથે સાથે જરૂરિયાત લોકોને કલોરીનની ગોળીઓ પણ આપવામાં આવી રહી છે,ફકત કોલોરા જ નહી પરંતુ ઝાડા-ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે.

પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યું હતુ

પૂર્વ વિસ્તારમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યું હતુ જેના કારણે રોગચાળો વધ્યો છે.આજવા રોડ પર આવેલી લતા પાર્કમ સોસાયટીમાં પણ દૂષિત પાણીના સેમ્પલ મળતા કોર્પોરેશન દોડતું થયું હતુ.સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા બધી સોસાયટીમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવે તો આ રોગચાળાને અટકાવી શકાય.

તંત્રએ કામગીરી કરી શરૂ

વડોદરા મ્યું,કોર્પોરેશન દ્રારા ગટરની પાણીની લાઈનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે,તો જયાં જયાં ગટરનું પાણી મિકસ થઈ રહ્યું છે તે જગ્યાએ પાણીની લાઈન ખોલીને તેને અલગ કરવામાં આવી રહી છે જેના કારણે આ સમસ્યા દૂર થાય,તો બીજી તરફ કોર્પોરેશના અધિકારીઓ દ્રારા પણ મિટીંગ યોજીને કઈ રીતે રોગચાળા પર જલદીથી કાબુ મેળવી શકાય તેના પ્રયાસો હાથ ધરાયા છે.

 

  • Follow us on: