• માલેગાંવથી સુરત આવી રહી હતી ST બસ
  • બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત સર્જાયો
  • નવાપુરના ચરણમાળ ઘાટ પર બની ઘટના

ગુજરાતની GSRTCની માલેગાંવ-સુરત બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ગુજરાત એસટીની બસ માલેગાંવથી સુરત આવી રહી હતી. આ દરમિયાન બસ નવાપુરના ચરણમાળ ઘાટ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે વળાંક ઉપર બસની એક્સેલ તૂટી જતાં બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.

જુઓ VIDEO: 



બ્રેક ફેઈલ થઈ જવાના કારણે બસ ઘાટીમાં પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર બાળકો સહિત 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સ્થાનિક બોરઝર ગામના રહેવાશીઓએ નવાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. 

  • Follow us on: