- નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના 21 કર્મચારીની પૂછપરછ થશે
- નકલી મિનિટ્સ બુક ના મામલામાં સાગઠીયા છ દિવસના રિમાન્ડ પર
- મનસુખ સાગઠીયા સહિત ટીપી શાખાનો સ્ટાફ મળ્યો હતો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના 21 કર્મચારીની પૂછપરછ થશે,તો આ બાબતને લઈ સાગઠીયા છ દિવસના રિમાન્ડ પર છે સાથે સાથે મનસુખ સાગઠીયા સહિત ટીપી શાખાનો સ્ટાફ મળ્યો હતો અને નકલી મિનિટ્સ બુક બનાવી હતી,નકલી મિનિટ્સ બુક નો ભેદ ખુલી જતા પોલીસે સાગઠીયા સામે વધુ એક ગુનો નોંધાયો છે.
ટીપી શાખાના 21 કર્મચારીઓની પૂછપરછ થશે
અગ્નિકાંડમાં રિમાન્ડ પૂરા થયા બાદ મનસુખ સાગઠિયા જેલમાં ધકેલાયો હતો. પોલીસે સોમવારે તેનો જેલમાંથી ઉપરોક્ત ગુનામાં કબજો મેળવી તેને મંગળવારે કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યો હતો.કલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના 21 કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવશે.
મનસુખ સાગઠિયા સામે નોંધાયો છે ગુનો
તા.27ના મનસુખ સાગઠિયા સહિત ટીપી શાખાનો સ્ટાફ મળ્યો હતો અને નકલી મિનિટ્સ બુક બનાવી હતી, તે મિનિટ્સ બુક પરથી સાગઠિયાએ પોતાને નિર્દોષ બતાવવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ પૂછપરછમાં આ ભેદ ખૂલી જતાં સાગઠિયા સામે નકલી મિનિટ્સ બુક બનાવવા અંગેનો વધારાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
મનસુખ તપાસમાં નથી આપતો સહકાર
મનસુખ સાગઠિયા કાયદાનો જાણકાર હોવાથી પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યો નથી. અગાઉ કોઇ મિનિટ્સ બુક બની નહોતી છતાં આ વખતે બનાવવામાં આવી હતી. મિનિટ્સ બુક બનાવવાનું કોણે કહ્યું હતું, સહિતના મુદ્દે તપાસ આવશ્યક છે. કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કરી આરોપી સાગઠિયાને પોલીસ હવાલે કર્યો હતો. નકલી મિનિટ્સ બુકમાં ટીપી શાખાના 21 કર્મચારીએ સહી કરી હોય પોલીસે તે તમામને પૂછપરછ માટે તેડું મોકલ્યું હતું.









