• SOGએ રૂ.3.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

  • બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે
  • તાજેતરમાં અનેક સ્થળોએથી આવી શિરપની બોટલનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામે આયુર્વેદિક શિરપના નામે નશાકારક પીણાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી જિલ્લા એસ ઓ જી ટીમ ને થતા પોલીસે આ બાબતે રહેણાંક ના એક મકાન માં રેઇડ કરી બિલ વગર ની કુલ 2300 બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

આ અંગે મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક શિરપના નામે વેચાતા નશાકારક પીણાનું ગેરકાયદે થતું વેચાણ વધ્યું છે. તાજેતરમાં અનેક સ્થળોએથી આવી શિરપની બોટલનો જથ્થો ઝડપાયો છે.

તેવામાં મોરબી જિલ્લામાં પણ આ શિરપ કોઈના શરીરમાં જઈને નુકસાન કરે તે પહેલાં જ એસઓજી ટીમે હળવદ પંથક ના ચરાડવા ગામે રહેતા રાજેશ સોનગરા ના રહેણાંક ના મકાન ના ગોડાઉન માં દરોડો પાડી આશરે રૂ.3.5 લાખની કિંમતની બિલ વગર ની 2300 સીરપ ની બોટલ કે જેની કિંમત રૂ.3.46.425 નો મુદ્દામાલ કબજે કરી રાજેશ ડાયાભાઇ સોનગરા રહે. ચરાડવા ની અટકાયત કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલ એસઓજીની ટીમે આ જથ્થો ક્યાંથી આવ્યો ? કેટલા સમયથી વેચાતો હતો ? તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.


  • Follow us on: