- નદીમાંથી 3 પુરૂષ અને 1 મહિલાનો મળી આવ્યો મૃતદેહ
- ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
- તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા
અમદાવાદની સાબરમતી નદીમાંથી 4 મૃતદેહ મળ્યા છે. જેમાં નદીમાંથી 3 પુરૂષ અને 1 મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અવારનવાર સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી રહ્યા છે. 2 મૃતદેહની ઓળખ થઈ છે. તથા 2 મૃતદેહની ઓળખ બાકી છે. 4 પૈકી એક મૃતદેહ ગઈકાલે ગુમ થયેલા કિશન પરમારનો છે. 32 વર્ષીય કિશનનો મૃતદેહ આંબેડકર બ્રિજ પાસેથી મળ્યો છે. જમાલપુર નજીકથી 25 વર્ષના સંજય પરમારનો મૃતદેહ મળ્યો છે. અન્ય એક પુરૂષ અને મહિલાની ઓળખ હજુ બાકી છે.













