- સાત રાજ્યોના મુખ્યમંત્રી બનશે ગુજરાતના મહેમાન
- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મેળાની શરૂઆત કરાવશે
- કેન્દ્રીય મંત્રીઓ અને 7 રાજ્યોના મંત્રીઓ પણ આવશે
સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમા પરંપરાગત રીતે યોજાતા રૂક્ષ્મણી વિવાહને સાંકળતા ઐતિહાસિક મેળામા ભારત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત પૂર્વોત્તર ભારતના સાતેય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આવી રહ્યા છે. 10 એપ્રિલથી શરૂ થનારા આ મેળામા આ સાતેય રાજ્યોના મંત્રીઓ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓને પણ આમંત્રણ અપાયુ છે. ઉલ્લેખનીય છે કે મેળાનો શુભારંભ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મેળાનો શુભારંભ કરવામાં આવશે.










