• લીલીપર રોડ પર કિરાણાની દુકાનમાં નશીલી સિરપ વેચાતી
  • શક્તિ કિરાણા સ્ટોરમાંથી નશાકારક સિરપ ઝડપાઈ
  • દુકાનદાર રસિક ભડાણીયાની કરાઈ અટકાયત
રાજ્યમાં નશાકારક સિરપ પર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ સ્થાનો પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં મોરબીમાં નશાકારક સિરપની 70 બોટલ ઝડપાઈ છે. તેમાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપનો જથ્થો પકડવાની કાર્યવાહી શરુ કરી છે.

તાજેતરમાં રાજ્યના ખેડા જિલ્લામાં તાજેતરમાં આયુર્વેદિક સિરપ પીધા બાદ 5 લોકોના મોત થવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. મોરબી લીલીપર રોડ પર આવેલા શક્તિ કિરાણા સ્ટોરમાંથી દુકાનદાર રસિક ભડાણીયાની નામના વ્યક્તિની આયુર્વેદિક સિરપની બોટલનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો.

તેમજ દુકાનમાંથી રૂ. 12000ની કિંમતની 70 બોટલ આયુર્વેદિક સિરપની મળી આવી હતી. આ જ કોમ્પ્લેક્ષમાંથી કિરણ બચુભાઈ અખિયાણી નામના શખ્સ પાસેથી પોલીસે રૂ 3000ની કિમતની આયુર્વેદિક સિરપ નામે વેચાતી 20 બોટલ પકડી પાડી હતી. તેમાં આલ્કોહોલની માત્રા તપાસવા એફ એસ એલમાં મોકલી દેવામાં આવી હતી.

આ ઉપરાંત મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે મુરલીધર પાન નામની દુકાનમાં જસાપર ગામનો કુલદીપ ગોવિંદ ડાંગર નામની વ્યક્તિ નશાકારક પીણાનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને રૂ. 18 હજારની કિમતની 120 બોટલ પકડી પાડી હતી અને સિરપનો તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો.

  • Follow us on: