- બન્નીના પ્રદેશમાં બનશે નવું સેન્ટર
- કેન્દ્ર સરકાર દ્વારા અપાઈ મંજૂરી
- વનમંત્રી મૂળુ બેરાએ આપી જાણકારી
PM મોદીના માર્ગદર્શનમાં આજે કચ્છ માત્ર ભારત જ નહીં, પરંતુ પ્રવાસન ક્ષેત્રો વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ-સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા આજે મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે વિગતો આપતા વન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું કે, દેશમાં ચિત્તાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરીને નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો.













