- આગ ઓકતી ગરમીમાં એસી, કુલર અને ઠંડા પીણાનો લોકોએ સહારો લીધો
- 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં લોકોએ ઘરમાંથી નીકળવાનું ટાળ્યું
- ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
ચાણસ્મા પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કાળજાળ ગરમી વર્તાઈ રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
ઉનાળાની મધ્યમાં સુર્ય જાણે કે બરાબરનો તપી રહ્યો હોય એમ તાપમાન નો પારો દિન પ્રતિદિન સતત 40 ડિગ્રી ઉપર રહેતા ચાણસ્મા તાલુકા સહિત ના લોકો માટે આટલી ભારે ગરમી અકળાવનારી અને અસહ્ય પુરવાર થઇ રહી છે.લોકો ગરમીનાં કારણે બપોરના સુમારે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે અને જેમને ન છુટકે નિકળવાનું થતું હોય તેમનાં દ્વારા મોઢા પર રૂમાલ, ટોપી, ચશ્મા તેમજ દુપટ્ટા વગેરેનો સહારો લઇને નિકળવાની ફ્રજ પડી રહી છે.










