- 113 યુગલો પાસેથી રજિસ્ટ્રેશનના નામે 22 હજાર પડાવ્યા
- હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટે આચર્યું કૌભાંડ
- આયોજકો 24 લાખથી વધુની ઉઘરાણી કરી ફરાર
અમદાવાદના અમરાઇવાડીમાં સમૂહ લગ્નના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં 113 યુગલો પાસેથી રજિસ્ટ્રેશનના નામે રૂપિયા 22 હજાર પડાવ્યા છે. તેમાં હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટે કૌભાંડ આચર્યું છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કર્યુ હતું. તેમાં આયોજકોએ 24 લાખથી વધુની ઉઘરાણી કરી ફરાર થયા છે.
પ્રકાશ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
પ્રકાશ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં લૂંટેરી દુલ્હન બાદ લૂંટેરા આયોજકનો કિસ્સો સામે આવ્યો છે. હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટના દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમૂહ લગ્નમા 113 યુગલોના લગ્ન કરાવી કરિયાવરનો સામાન પણ આપવાનું જણાવવામાં આવેલ હતુ. 113 યુગલો પાસેથી રજિસ્ટ્રેશનના નામે તમામ લોકો પાસેથી 22૦૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા.
અમરાઈવાડી પોલીસ દ્વારા ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી
અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે હોબાળો થયો હતો. 113 જોડાના સમૂહ લગ્નમાં કૌભાંડ થયાનો આરોપ છે. આયોજકો દ્વારા ચોવીસ લાખથી વધુની ઉઘરાણી કરવામાં આવી હતી. તેમજ મ્યુન્સિપલ કોર્પોરેશન ઓપન પાર્ટીપ્લોટ વસ્ત્રાલમાં સમૂહ લગ્ન યોજવાના હતા. એક દિવસ પહેલા સુધી કોઈ આયોજક ના દેખાતા પૈસા અપનારાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. ભારતીનગર અમરાઇવાડી પોસ્ટ ઓફિસની સામે પ્રકાશ પરમાર દ્વારા ઓફિસ બનાવવામાં આવી હતી. જેમાં હવે અમરાઈવાડી પોલીસ દ્વારા ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.