• ઉશ્કેર ગામ નજીક અકસ્માતની ઘટના બની
  • સરસ્વતી વિધ્યાલયના બાળકોને થઇ ઈજાઓ
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
સુરતમાં કીમ માંડવી સ્ટેટ હાઇવે પર અકસ્માત થયો છે. જેમાં સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. ઉશ્કેર ગામ નજીક આ ઘટના બની છે. સરસ્વતી વિધ્યાલયના બાળકો, ટીચર અને બસ ડ્રાયવરને ઈજાઓ થઇ છે.

અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા
અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા છે. તેમજ ઈજાગ્રસ્તોને 108માં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ મહુધાના નડિયાદ રોડ પર ભુલીભવાની પાટીયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. પુરપાટે નડિયાદથી છીપડી જઈ રહેલી એસટી બસે મોટરસાયકલના ચાલકને કચડી ફંગોળ્યો હતો. ચાલકની ખોપળી ફાટી જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

એસટી બસ નંબર GJ18Z7801ના ચાલકે આ અશોકભાઈની મોટરસાયકલ સાથે અકસ્માત કર્યો
કઠલાલ તાલુકાના નવાતાતરીયા ગામે રહેતા અંબાલાલ ઉર્ફે લક્ષ્મણભાઇ અવજીભાઈ પોતે મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામે રહેતા તેમના જમાઈ અશોકભાઈ જયંતિભાઈનાઓ ગત 19મી ફેબ્રુઆરીના રોજ મોટરસાયકલ લઈને સાસરીમાં આવ્યા હતા. આ બાદ ગતરોજ સમીસાંજે અશોકભાઈ પોતાના ઘરે સાથે લાવેલ મોટરસાયકલ ચલાવીને જતાં હતા. આ દરમિયાન મહુધા-નડિયાદ રોડ પર ભુલીભવાની પાટીયા પાસે સામેથી પુરપાટે આવી રહેલી એસટી બસ નંબર GJ18Z7801ના ચાલકે આ અશોકભાઈની મોટરસાયકલ સાથે અકસ્માત કર્યો હતો.
  • Follow us on: