• ઝઘડિયામાં યુવકને મગર ખેંચી જતા મોત
  • માછીમારી કરતા યુવકને મગર ખેંચી ગયો
  • ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ શોધી કાઢ્યો

ભરૂચના ઝઘડિયામાં યુવકને મગર ખેંચી જતા મોત થયુ છે. જેમાં માછીમારી કરતા યુવકને મગર ખેંચી ગયો હતો. તેમાં ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ શોધી કાઢ્યો છે. ઝઘડિયા તાલુકાના પોરા ગામે નર્મદા નદીમાં માછીમારી કરતા યુવાનને મગર ખેંચી જતા મોત થયુ છે.

નર્મદા નદીમાં બપોરના સમયે માછીમારી કરતો

અવિદ્યા ગામનો 35 વર્ષીય યુવાન દિપક રજની વસાવા પોરા ગામે નર્મદા નદીમાં બપોરના સમયે માછીમારી કરતો હતો. ત્યારે માછીમારી કરતા સમયે દિપક ઉપર મગરે હુમલો કરી તેને પાણીમાં ખેચી ગયો હતો. જેમાં ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી કાઢ્યો છે. તથા પોરા ગામે નર્મદા નદીમાં નવથી વધુ મગરોનો વસવાટ છે. ત્યારે યુવાનના મોતથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. 

  • Follow us on: