- આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની મુશ્કેલીમાં વધારો
- ફિલ્મ ‘મહારાજ’ રીલીઝ કરવા પર હાઈકોર્ટે લગાવ્યો સ્ટે
- વૈષ્ણવ સમાજની લાગણી દુભાતી હોવાની રજૂઆત
બોલીવુડ સ્ટાર અને મી. પરફેક્સનીસ્ટ તરીકે જાણીતા આમીરખાનના પુત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન પોતાની ફિલ ‘મહારાજ’ની સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. જોકે, પહેલી ફિલ્મની સાથે જ ફિલ્મ ‘મહારાજ’ અને આમિરનો પુત્ર વિવાદમાં આવી ગયા છે. જાણવા મળી રહ્યું છે કે આમિરના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મને ગુજરાતમાં રીલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે લગાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ મહારાજ પર રોક લગાવી દીધી છે. મહારાજ ફિલ્મ રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાજ ફિલ્મથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાતી હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.










