નર્સિંગ પરીક્ષાની ભરતીને લઈને વિવાદ સામે આવ્યો. નર્સિંગ પરીક્ષાની ભરતીની પરીક્ષામાં ગેરરિતી થયાના આક્ષેપ બાદ સમગ્ર મામલે હોબાળો જોવા મળ્યો. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા વિવાદમાં અધિક નિયામકે ખુલાસો આપતા જણાવ્યું કે GTU વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે.
સ્ટાફ નર્સિંગ પરીક્ષાની ભરતી વિવાદ
સ્ટાફ નર્સિંગ પરીક્ષાની ભરતીમાં હોબાળાને પગલે રજીસ્ટાર GTU કે.એન.ખેરનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે GTU સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે. GTU વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે. પરીક્ષા પેપરમાં પેટર્નનો મુદ્દો ધ્યાને આવ્યો છે. ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અધિક નિયામક ડો.તૃપ્તિ દેસાઈએ નિવેદનમાં આપતાં કહ્યું કે પરીક્ષામાં કોઈ ગેરરીતિ જણાતી નથી. પરીક્ષામાં ગરબડ હશે તો પરીક્ષા રદ્દ કરીશું. 24 કલાકમાં સમગ્ર રિપોર્ટ આપવા માટે કહ્યું.
પરીક્ષામાં ગોલમોલના આક્ષેપ
રવિવારે સ્ટાફ નર્સિંગની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતીં. સ્ટાફ નર્સિંગની 1900 જેટલી જગ્યા માટે અંદાજે 70,000 થી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી. દરમ્યાન આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવતા પરીક્ષામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં ગોલમોલના આક્ષેપ બાદ આન્સર કી મામલે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો હતો. દરમ્યાન અધિક નિયામકે આશ્વાસન આપતાં કહ્યું કે પરીક્ષા પેપરમાં પેટર્નનો મુદ્ધો ધ્યાને આવ્યો છે અને વિદ્યાર્થીના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે.
યુવરાજસિંહનો આક્ષેપ
યુવરાજસિંહ જાડેજાએ સ્ટાફ નર્સની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો દાવો કર્યો. યુવરાજસિંહે લખ્યું કે પરીક્ષાની આન્સર કીમાં મોટાપાયે ગોલમાલ જોવા મળી રહી છે. આન્સર કીમાં જવાબો ક્રમશઃ A,B,C,D પ્રમાણે જ જોવા મળે તે કોઈ સંજોગ છે કે પછી જાણજોઈને આમ કરવામાં આવ્યું છે.છે. કેમ આવી રીતે ક્રમશ જવાબોની ગોઠવણી કારઈ ? યુવરાજસિંહના આક્ષેપ બાદ સ્ટાફ નર્સની ભરતીની પરીક્ષામાં ગેરરીતિ થયાનો સમગ્ર મામલો સામે આવ્યો. આ મામલે અધિક નિયામને જવાબ આપતા કહ્યું કે પરીક્ષામાં કોઈ ગેરરીતિ નથી થઈ.













