વ્યાપક રસીકરણના પ્રતાપે જ રાજ્યમાં વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% રહ્યો છે, જ્યારે હર્ડ ઇમ્યુનિટી 80% સુધી પહોંચી છે. ગાંધીનગરના માણસા તાલુકા સહિત રાજ્યભરના લાખો પશુપાલકો માટે સરકારનું આ નિઃશુલ્ક રસીકરણ આશીર્વાદરૂપ બન્યું છે. પશુપાલન વિભાગની ટીમ દર છ મહિને ઘરે જઈને પશુઓને રસી આપે છે, જેનાથી પશુઓ રોગમુક્ત રહે છે અને દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જળવાઈ રહે છે.
હાલ સમગ્ર રાજ્યમાં 'લાઈવસ્ટોક હેલ્થ એન્ડ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ' મજબૂત રીતે કાર્યરત છે
આ અભિયાનની મુખ્ય વિશેષતા તેની પારદર્શિતા છે. 'નેશનલ ડિજિટલ લાઈવસ્ટોક મિશન' હેઠળ દરેક પશુને 12 આંકડાનો બાર-કોડેડ 'ઇયર-ટેગ' લગાવી તેની તમામ વિગતો 'ભારત પશુધન પોર્ટલ' પર ઓનલાઇન નોંધવામાં આવે છે. વર્ષ 2019થી હાથ ધરાયેલા સઘન પ્રયાસોને પરિણામે હવે રાજ્યમાં માત્ર છૂટાછવાયા અને નહિવત ગંભીર કેસ જ જોવા મળે છે.
