નવા વર્ષની શરૂઆત સાથે સંદેશ ન્યૂઝ પર કરો ગોવર્ધન પર્વતના દર્શન. આજના દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. ભગવાનની ગોવર્ધન લીલાના દર્શન અને નવા વર્ષની શરૂઆત સાથે દર્શનાર્થીએ દર્શન કર્યા.
આજથી શરૂ થતાં નવા વર્ષ નિમિતે લોકોએ ભગવાનના દર્શનથી કરી શરુઆત કરી. નવા વર્ષે દર્શનાર્થીઓની ઇસ્કોન મંદિરમાં ભારે ભીડ જોવા મળી. ઇસ્કોન મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતીઓ આજના દિવસે બેસતુ વર્ષ પણ મનાવે છે આ એજ દિવસ છે, જ્યારે ભગવાન ઈન્દ્ર દ્વારા મૂશળધાર વરસાદ વરસાવવામાં આવ્યો હતો. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ 7 વર્ષના હત્યા, ત્યારે આ સમયે ગોકુળના રહેવાસીઓને બચાવવા માટે ભગવાન કૃષ્ણએ 7 દિવસ માટે ગોવર્ધન પર્વત ઊંચકી રાખ્યો હતો. ગોવર્ધન પર્વત નીચે ગોકુલવાસીઓ ઈન્દ્રના પ્રહારથી બચી શક્યા હતા. આખા વિશ્વમાં ઈસ્કોનના જેટલા પણ કેન્દ્રો છે, તેમાં આ દિવસે ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ઇસ્કોન મંદિર અમદાવાદમાં પણ અન્નકૂટ મહોત્સવ ઉજાવામાં આવે છે.
108 કિલોગ્રામ ચોખા ઘીના ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો
આ વર્ષે અમદાવાદ સ્થિત ઇસ્કોન મંદિરમાં 108 કિલોગ્રામ ચોખા ઘીના ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો. આ સાથે 108 કિલોગ્રામ ડ્રાય ફ્રૂટ, 108 કિલોગ્રામ ફ્રૂટ, ફરસાણ પણ ધરાવવામાં આવ્યા.
મંદિરના ભક્તો દ્વારા આખો ગોવર્ધન પર્વત બનાવામાં આવ્યો
આ ઉપરાંત 400થી વધારે વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવી. ભગવાન રાધા-ગોવિંદ, શ્રીનાથજી ગોપાલ જી, રાધા-કૃષ્ણ, સીતા- રામ- લક્ષ્મણ ભગવાનને નવા વસ્ત્રો તથા અલંકારો પહેરવવામાં આવ્યા. જ્યારે મંદિરના ભક્તો દ્વારા આખો ગોવર્ધન પર્વત બનાવામાં આવ્યો. આ ગોવર્ધન પર્વત બનાવવાની તૈયારી આગલા દિવસે રાતે ચાલુ થઇ હતી. જેમાં આખી રાત ભગવાન માટે શીરો બનાવવામાં આવ્યો.
ભક્તો સવારે 6:30થી ગોવર્ધન બનાવવામાં લાગ્યા
સવારે 4:30 કલાકે મંગળા આરતીથી સમગ્ર કાર્યક્રમ શરૂ થઇ ગયો. ભક્તો સવારે 6:30થી ગોવર્ધન બનાવવામાં લાગી ગયા હતા. સવારના 11:30 સુધી ગોવર્ધન પર્વત તૈયાર કરવામાં આવ્યો. જેમાં અલગ અલગ પ્રકારનાં ડ્રાય ફ્રૂટ, ફ્રૂટ, ફરસાણથી આખો ગોવર્ધન તૈયાર કરવામાં આવ્યો.
ગોવર્ધન પૂજાની સાથે સાથે, ઇસ્કોન મંદિરમાં ગૌ-પૂજાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. સવારે 9:30 કલાકે ગૌ પૂજા કરવામાં આવી. કઠવાડા સ્થિત ઇસ્કોન મંદિરની ગૌ-શાળામાં 275 ગાયોની સેવા થાય છે.
ભક્તો અલગ-અલગ સેવામાં લાગી ગયા
વિવિધ ભક્તો અલગ અલગ સેવામાં લાગી જાય છે. ઘણા ભક્તો ડ્રાય ફ્રૂટ ખરીદવામાં, ઘણા ભક્તો ફ્રૂટ અને ઘણા ભક્તો ફરસાણ ખરીદવામાં, ઘણા ભક્તો ગોવર્ધન બનાવવાની પ્રક્રિયામાં અને વિવિધ પ્રકારની તૈયારીઓમાં લાગી જાય છે. ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજીએ જણાવ્યું કે, ગોવર્ધન પૂજાનો ઉત્સવ ખુબ ધામધૂમ પૂર્વક ઉજવામાં આવ્યો. બપોરે 11:30 કલાકે ગોવર્ધન પર્વતનો ઇસ્કોન મંદિરની અંદર અભિષેક કરવામાં આવ્યો. જે બાદ ભગવાનને 12:15 કલાકે અન્નકૂટ ધરવામાં આવશે અને પછી ભગવાનની આરતી કરવામાં આવશે.
મંગલા આરતીથી ભગવાનના કિર્તનથી જ સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું
સવારે મંગલા આરતીથી ભગવાનના કિર્તનથી જ સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું. જયારે ગોવર્ધન પૂજા એક વાગે બપોરે પૂરી થશે પછી સાંજે જેટલો પણ શીરો છે, એ જેટલા પણ ભક્તો દર્શન માટે આવે છે એમને વિતરણ કરવામાં આવશે. આપ તો જાણતા હશો કે ઇસ્કોન મંદિરમાં દરરોજ ખીચડી મળે છે, પરંતુ આ દિવસે બધા ભક્તોને ચોખા ઘીના શીરાનો પ્રસાદ આપવામાં આવશે.









