અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે રાજ્ય સરકારે એસટીની વોલ્વો બસ સેવા તા.27 જાન્યુઆરીને સોમવારથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેનું બુકિંગ તા.25 જાન્યુઆરીથી શરૂ કરવાના ગણતરીના કલાકોમાં જ તા.25 ફેબ્રુઆરી સુધીની એટલેકે સળંગ 30 દિવસની તમામ બસો હાઉસફૂલ થઇ ગઇ હતી !
પ્રયાગરાજ માટે બસને મુખ્યમંત્રી લીલીઝંડી આપી દોડાવે તે પહેલા જ એસ.ટી.નિગમને 1.14 કરોડ રૂપિયાનો એડવાન્સમાં જ વકરો થઇ ગયો હતો.144 વર્ષે આવેલા મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓ અને તેમાંય અમદાવાદીઓ કેટલા ઉત્સુક અને આતુર છે તેનો અંદાજો ઉપરોક્ત બુકિંગ પરથી જ આવી શકે તેમ છે. ટ્રેનોમાં ટિકિટ નથી મળતી, હવાઇ ભાડા આકાશને આંબી રહ્યા છે, ખાનગી બસ ચાલકો તકનો લાભ લઇ રહ્યા છે. ખાનગી વાહનો લઇને પ્રયાગરાજ જવું દરેક પરિવારો માટે શક્ય નથી. તેવામાં રાજ્ય સરકારે શ્રાદ્ધાળુંઓ માટે પ્રયાગરાજ જવા માટે એસટીની વોલ્વો બસ સેવાનો ખોલોલે એક વિકલ્પ પણ હવે સામાન્ય લોકો માટે રહ્યો નથી. ત્યારે શ્રાદ્ધાળુંઓ ભારે નિરાસા અનુભવી રહ્યા છે.










