ખરાબ રોડ અને તેના રિપેરિંગની કામાગીરીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
આ વચ્ચે પૂર્વના ખોખરામાં હાટકેશ્વર સર્કલ નજીક ખોડિયાર માતાના મંદિરની સામે જ ઓવર બ્રિજ નજીક પાંચ ફૂટ ઊંડો ભૂવો પડયો છે પરંતુ તેના રિપેરિંગની કામગીરી કરવાની શરૂઆત તો કરવામાં આવી પરંતુ તેને અધૂરો જ છોડી દેવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ત્યાંથી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.










