અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ સાબરમતી રિવરફ્રન્ટ પર થઈ ગયો છે,આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફલાવર શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.3 જાન્યુઆરી 2025 થી 22 જાન્યુઆરી 2025 સુધી ફલાવર શો ચાલુ રહેશ,પછી અમદાવાદ મ્યુ.કોર્પોરેશન નક્કી કરશે કે આગળના દિવસોમાં ફલાવર શો લંબાવવો છે કે નહી.


[[$googlead]]

CMના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવ્યો

સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફલાવર શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો ચાલશે સાથે સાથે ગયા વર્ષે ફ્લાવર વેલીનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાયો હતો અને આ વર્ષે ફ્લાવર શો 6 ભાગમાં વહેચાયો છે PMએ ફ્લાવર શોમાં સૂચવેલા સુજાવ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે.QR કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતા જાણી શકાશે તો મુલાકાતીઓનો પ્રવાહ વધે તો તારીખ લંબાઈ શકે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે.ફ્લાવર શોના ટિકિટ ચાર્જમાં આ વધારો કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

એન્ટ્રી ફી 500 રુપિયા

સવારે 8 થી 9 વાગ્યા સુધી એન્ટ્રી ફી 500 રુપિયા રહેશે તેમજ શનિ-રવિવારે એન્ટ્રી ફી રૂ.100 ચૂકવવી પડશે તો સામાન્ય દિવસોમાં એન્ટ્રી ફીના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.ફ્લાવોર શોની એન્ટ્રી ફી રૂ. 70 ચૂકવવી પડશે તો ગત વર્ષની તૂલનામાં 20 રૂપિયાનો વધારો થયો છે.અગાઉ એક જાન્યુઆરીએ આ ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો પરંતુ રાષ્ટ્રીય શોકના કારણે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

6 ઝોનમાં છે ફલાવર શો

ફ્લાવર શોમાં દેશ-વિદેશના 15 લાખથી વધુ ફ્લાવરનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ ફૂલોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.પહેલા ઝોનને ભારતના આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળી પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક કરવામાં આવી છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચિસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુશાસનના 23 વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે.


  • Follow us on: