•  વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન રાત્રે 1 વાગ્યા સુધી દોડશે
  • રાત્રે 10 વાગ્યા પછી ટિકીટનો દર 50 રૂપિયા રહેશે
  • ભીડ ટાળવા માટે પેપર ટિકિટનો ઉપયોગ કરવામાં આવશે
ક્રિકેટ રસીકોના સૌથી લોકપ્રિય સીરિઝ એવી વર્લ્ડ કપની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વચ્ચે અમદાવાદ ખાતેના ગુજરાત મેટ્રો રેલ દ્વારા પણ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં જ્યારે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાશે તે દિવસે મેટ્રો ટ્રેન સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે. હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટના સમયે ચાલે છે.
આ અંગે અમદાવાદ મેટ્રો રેલ સેવા દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે. રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર જતા તરફના દ્વાર જ ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશ રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનો ઉપયોગ કરી શકાશે.

એટલું જ નહીં ભીડને નિયંત્રિત કરવા માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે 50ના નિશ્ચિત દરે ખરીદી શકાશે.

ખાસ નોંધનીય બાબત છેકે, અમદાવાદમાં 5/10, 14/10, 4/11, 10/11 અને 19/11 ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અલગ અલગ મેચ યોજાશે. જેના માટે મેચ જોવા આવનાર પ્રેક્ષકો તેનો લાભ સરળતાથી અને લાંબા સમય સુધી લઈ શકે ના માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 
  • Follow us on: