મિલેટ્સના ઉપયોગ અગે જાગૃતિ ફેલાવવા અમદાવાદમાં મિલેટ મહોત્સવ અને પ્રકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરાયું હતું.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિલેટ્સના ઉપયોગ અગે જાગૃતિ ફેલાવવા અમદાવાદમાં મિલેટ મહોત્સવ અને પ્રકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરાયું છે. 8 અને 9 ફેબ્રુઆરી બે દિવસ મીલેટ મહોત્સવ ચાલશે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મિલેટ્સનું ઉત્પાદન કરતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવતા રાજ્યના એફપીઓ સાથે સંકળાયેલ એનજીઓ સામેલ થયા હતા.  રાજ્યમાં જિલા કક્ષાએ પણ મિલેટ મહોત્સવ અંતર્ગત અલગ અલગ 6 જિલ્લાઓમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. મિલેટ મહોત્સવમાં મીલેટ આધારિત ઉત્પાદનો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો, લાઈવ ફૂડ વગેરેનું પ્રદર્શન, સરકારી વિભાગોના સ્ટોલ, અને વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ પાક પરી સંવાદ નું આયોજન કરવામાં આવ્યું છે.

  • Follow us on: