• પોલીસ કમિશનર જી.એસ.મલિક અને સેકટર 1 રહ્યાં હાજર
  • 7 જુલાઈ 2024ના રોજ અમદાવાદ શહેરમાં નિકળશે રથયાત્રા
  • પોલીસ તંત્ર રથયાત્રાને લઈ એલર્ટ મોર્ડ પર
7 જુલાઈ 2024ના રોજ અમદાવાદ શહેરમાં જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળશે,તે પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને સેકટર 1 દ્રારા મંદિરના ટ્રસ્ટી અને મહંત સાથે મુલાકાત કરી હતી,આ મુલાકાત દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા,અને સમગ્ર રથયાત્રા રૂટનો તાગ મેળવ્યો હતો.

સીસીટીવી લગાવાનો આપ્યો છે આદેશ
રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પોલીસતંત્ર એલર્ટ બન્યું છે. અમદાવાદ પોલીસ ટીમ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. રથયાત્રા પૂર્વે શહેરમાં ગુનાહિત પ્રવૃતિને રોકવા ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ બન્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના તમામ હોટલ, દુકાનોમાં ચેકિંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓને પણ દુકાનમાં CCTV રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.


રથયાત્રા રૂટ પર લાગશે સીસીટીવી
સમગ્ર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા અને કોઈપણ પ્રકારનો અનિચ્છિનિય બનાવ ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ છે. રથયાત્રા પૂર્વે શહેરના સંવેદનશીલ વિસ્તાર સહિત 21 કિલોમીટરના રૂટ પર CCTV લગવાવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. વેપારીઓને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યો છે કે સીસીટીવી દુકાનમાં લગાવવામાં આવે. આ ઉપરાંત, આ વર્ષે રથયાત્રાને લઈને શહેરમાં હાઈ એલર્ટ છે. એટલું જ નહીં, સુરક્ષાની દ્રષ્ટિ કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તે પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે.



પોલીસે દુકાનદારો સાથે યોજી મિટીંગ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા તમામ રહીશો અને દુકાન માલિક સાથે મિટીંગ કરી હતી. દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી કવોલિટીના CCTV લગાવવા પડશે. સંવેદનશીલ વિસ્તારમાં 1500 CCTV કાયમી ધોરણે લાગશે. અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં 348 નવા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. અગાઉ રથયાત્રાના રૂટ પર 177 CCTV કેમેરા લાગેલા હતા, જેમાં 61 કંટ્રોલ કેમેરા અને 166 ખાનગી કેમેરા છે.  
  • Follow us on: