• અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્યથી અતિભવ્ય 147મી રથયાત્રા નીકળશે

  • સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસ સતત ખડેપગે
  •  અમદવાદ પોલીસે જગન્નાથ મંદિર જમાલપુરથી સરસપુર સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યુ

7 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્યથી અતિભવ્ય 147મી રથયાત્રા નીકળશે. જેને લઈને અમદાવાદમાં રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે શહેરમાં કોઈ અણબનાવ ના બને તેના માટે અમદાવાદ પોલીસ પણ ખડેપગે સેવા આપે છે.

રથયાત્રા રૂટ પર પોલીસનું ફુટ પેટ્રોલિંગ

તમને જણાવી દઈએ કે આજે રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદવાદ પોલીસે જગન્નાથ મંદિર જમાલપુરથી સરસપુર સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું અને આ રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિત 200થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા અને 20 જેટલા ઘોડેસવાર પોલીસ પણ પેટ્રોલિંગમાં જોડાયા હતા.

આવો હશે રથયાત્રા રૂટ, જાણો ટાઈમલાઈન

  1. સવારે 7 વાગે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
  2. 9 વાગે AMC ઓફિસ પાસે પહોંચશે
  3. 9.45 વાગે રાયપુર ચકલા
  4. 10.30 વાગે ખાડીયા ચાર રસ્તા
  5. 11.15 વાગે કાલુપુર સર્કલ
  6. 12 વાગે સરસપુર
  7. 1.30 વાગે સરસપુરથી પરત
  8. 2 વાગે કાલુપુર સર્કલ
  9. 2.30 વાગે પ્રેમ દરવાજા
  10. 3.15 વાગે દિલ્હી ચકલા
  11. 3.45 વાગે શાહપુર દરવાજા
  12. 4.30 વાગે આર.સી.હાઇસ્કુલ
  13. 5 વાગે ઘી કાંટા
  14. 5.45 વાગે પાનકોર નાકા
  15. 6.30 વાગે માણેકચોક
  16. 8.30 વાગે નિજ મંદિર પરત


  • Follow us on: