રાજ્ય શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા શાળા પ્રવાસ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવાના બદલે પ્રવાસ પર જ રોક લગાવી દેવાયો હોવાથી ભારે રોષ ફેલાયો છે.


શાળા પ્રવાસ અંગેની ઝડપથી માર્ગદર્શિકા જાહેર કરવા ટુર એસોસિએશન દ્વારા પણ કમિશનર ઓફ સ્કૂલ (COS)ની કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે, રાજ્યની હજારો શાળાના લાખો વિદ્યાર્થીઓના એડવાન્સમાં કરેલા પ્રવાસના આયોજનો ખેરવાઈ રહ્યાં હોવા છતાં COSના નિયમકનું પેટનું પાણી પણ હલતું ન હોવાના આક્ષેપ થયાં છે.

કમિશનર શાળાઓની કચેરીમાં ટૂર એસોસિએસન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, મોટાભાગની શાળાઓમાથી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાઓ માટે અનેક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર ન કરાતાં આ તમામ આયોજનો રદ કરવા પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. જેના કારણે, લાખો વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ છે. એ સિવાય દરેક એજન્સીઓ, લોજિસ્ટિક અને નાણાકીય નુકસાન વેઠવાનો વારો એવી નોબત બની છે.


  • Follow us on: