- ભગવાનની નગરયાત્રા પહેલા આભૂષણોની પધરામણી
- વાજતે ગાજતે ગજરાજો સાથે મંદિરથી નિકળી શોભાયાત્રા
- ભજન મંડળી અને ભક્તો સાથે મંદિરથી નિકળી શોભાયાત્રા
રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે મંદીરમાંથી આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ,ભગવાનના આભૂષણોની પધરામણી થઈ હતી સાથે સાથે વાઘા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે,ભજન મંડળી,ભકતો અને ગજરાજ સાથે રોડ જય રણછોડના નાદથી ગુંજી ઉઠયો હતો.
અન્ય કોણ-કોણ જોડાશે રથયાત્રામાં
જગન્નાથ રથયાત્રામાં કોમી એકતાની ઝાંખી જોવા મળશે.8 ભજન મંડળી, 2000 સાધુ સંતો ભજન મળશે જોડાશે.પ્રસાદમાં 3000 કિલો મગ, 500 કિલો જાંબુ રખાશે.500 કિલો કેરી અને 400 કિલો કાકડી દાડમ રખાશે.2 લાખથી વધુ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે.18 ગજરાજો ,101 ટ્રક ,30 અખાડા,18 ભજન મંડળી હશે.2000 સાધુ સંતો હાજર રહેશે.

જગન્નાથના સુંદર વાઘા થઈ ગયા છે તૈયાર
રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા છે તૈયાર.આસમાની કલર , વાઇટ રેડ, વેલવેટ , ગઝીસિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.બનારસ, વૃંદાવન, મથુરા બેંગ્લોર હૈદરાબાદના કાપડથી વાઘા કરાયા તૈયાર છે.તો ડાયમંડ,જરદોષી, મોતી વર્ક, ઝરી વર્કથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે.દોઢ મહિનાની મહેનત બાદ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.જોધપુરી જવેલરી ભગવાન જગનાથજી માટે કરાઈ તૈયાર.20 વર્ષથી ભગવાન જગન્નાથના અમદાવાદના સુનિલ ભાઈ બનાવે છે સુંદર વાઘા.
7 જુલાઈએ લેવાશે ભગવનાનનું મામેરું
ભગવાનને મામેરૂ ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આ તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ રથયાત્રાનો 5 જુલાઈનો કાર્યક્રમ
1-ભગવાન જગન્નાથના સવારે 8 વાગે નેત્રોત્સવ થશે
2-9 વાગે ગજરાજ પૂજન, 11 વાગે ભંડારો રાખવામાં આવશે
અમદાવાદ રથયાત્રાનો 6 જુલાઈનો કાર્યક્રમ
1-સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે
2-10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે
3-બપોરે 2.30 વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે
4-સાંજે 7 વાગે મુખ્યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે
અમદાવાદ રથયાત્રાનો 7 જુલાઈનો કાર્યક્રમ
1-સવારે 4.30 વાગે ખીચડીનો ભોગ અને 5 વાગે આદિવસી નૃત્ય અને રાસ ગરબા રમશે
2-સવારે 5.45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવામાં આવશે
3-સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે
4-પહિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે









