સરકારમાં કલાસ વન અધિકારી બનાવવાના ઝાંસામાં લોકોને ફ્સાવી રૂ. 3.25 કરોડની ઠગાઇ કરવાના કૌભાંડમાં પોલીસ ધરપકડથી બચવા માટે યોગેશ ચંદુભાઈ પટેલએ કરેલી આગોતરા જામીન અરજી એડીશનલ સેશન્સ જજ એચ.જી.પંડયાએ ફગાવી દીધી છે.
કોર્ટે નોંધ્યું હતું કે, કેસની તપાસ માટે આરોપીનું કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે તેથી આવા કેસમાં આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં.










