- બે વર્ષ પહેલાં બલૂન ડ્રોન સિસ્ટમ ફેઇલ થઈ હતી
- નાઇટ્રોજન બલૂન બ્લાસ્ટ થતાં હોવાથી આ વખતે હિલિયમ બલૂનનો ઉપયોગ કરાશે
- આ બલૂન ડ્રોનથી ક્રાઇમ બ્રાન્ચ સેન્સેટીવ પોઇન્ટ તેમજ ભગવાન રથની સાથે સાથે મુવમેન્ટ કરશે
રથયાત્રા આગામી 7 જૂલાઇએ નગરચર્યાએ નિકળવાની છે ત્યારે આ વર્ષે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાનું મોનિટરીંગ કરવા માટે હિલિયમ બલૂન ડ્રોનનો ઉપયોગ કરશે. આ બલૂન ડ્રોન પાંચ કિલોમિટર સુધી ક્લિયર રીતે મોનિટરીંગ કરી શકશે.
ત્રણ વર્ષ અગાઉ પણ બલૂન ડ્રોનનો ઉપયોગ પોલીસે રથયાત્રામાં કર્યો હતો ત્યારે ભીડભાડ વાળી જગ્યાએ નેટવર્ક જમા થઇ જતુ હોવાથી ડ્રોનની સિસ્ટમ ફેઇલ થઇ હતી. પરંતુ આ વખતે તેવો કોઇ ઇશ્યુ ન આવે તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નાઇટ્રોજન બલૂન ગરમીના કારણે બ્લાસ્ટ થતુ હોય છે આથી હિલિયમ બલૂનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ છે.










