સિવિલ હોસ્પિટલમાં મહાવીર જયંતીના પવિત્ર દિવસે થયેલા બે અંગદાન થકી કુલ 8 લોકોને નવજીવન આપીને તેમનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફ્ળતા મળી છે.
પ્રથમ અંગદાનમાં હિંમતનગર સાબરકાંઠાના 41 વર્ષીય ભદ્રશીલાબેનને 7 એપ્રિલના રોજ બાઇક સ્લીપ થતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી 9 એપ્રિલના ડૉક્ટરો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી અંગદાન અંગે તબીબોની ટીમે પરિવારજનોને મહત્વ સમજાવવામાં આવ્યું અને તેમના પતિએ ઉમદા નિર્ણય કરીને અન્યોની પીડા દૂર કરવાનો નિર્ણય કર્યો. જેમાં અંગદાનમાં 2 કીડની, એક લીવર, એક સ્વાદુપિંડ તેમજ એક હૃદયનું દાન મળ્યુ હતું.










