ખોખરામાં હાટકેશ્વર સર્કલ પરના મુખ્ય માર્ગ અને સર્વોદય નગર ગુ.હા. બોર્ડના ગેટ નંબર-1 પાસે અડધા માર્ગ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે.


પહેલાં કામ મંથર ગતિએ ચાલી રહ્યું હતું પરંતુ હવે ગટર લાઈનની કામગીરીનો ફોલ્ટ શોધ્યા વગર જ મેઈન હોલ નજીક ગેરકાયદેસર બાંધકામ આવી જતા તંત્ર દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હવે તેના કારણે દુર્ગંધ મારતું પાણી બીજા સ્થાનેથી બહાર નીકળવા લાગ્યું છે અને લોકોએ ગંદકીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યું છે.

આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, સર્વોદય નગરના બ્લોક નંબર 157/158 ના આસપાસના ગટર લાઈન ભરાઈ જવાના કારણે ખાડો ખોદીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેના પર ફોલ્ટ ન મળતાં ખાડો પૂરાણ કરી દેવામાં આવ્યો હતો. હવે ગટરનું દુર્ગંધ મારતું પાણી બીજા રસ્તેથી રોડ પર પસરી જવાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.


  • Follow us on: