- રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ અમરેલીમાં તંત્ર લાગ્યું કામે
- અમરેલીમાં ફાયર NOC વગરના વધુ બે કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ
- અત્યાર સુધીમાં કોમ્પ્લેક્સ, સિનેમા, રેસ્ટોરન્ટ સહિત 6 ઇમારતો સીલ
અમરેલીમાં અગાઉ અનેક વખત નોટિસ આપવા છતાં પણ ફાયર એનઓસી નહીં મેળવનાર વધુ બે કોમ્પ્લેક્સને ફાયર વિભાગ ની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. આ બંને કોમ્પ્લેક્સ માં આવેલી તમામ દુકાનોને તાળા મારીને સીલ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના બાદ અમરેલીમાં પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને રોજ ફાયર સેફ્ટી તથા એનઓસી ન ધરાવનાર કોમર્શિયલ કોમ્પ્લેક્સ સિનેમા રેસ્ટોરન્ટ વગેરેને સીલ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 6 બિલ્ડીંગોને સીલ મારી દેવામાં આવ્યા છે. આજે અમરેલીના સતત ટ્રાફિકથી ધમધમતા હરિ રોડ ઉપર આવેલા બુરહાની શોપિંગ સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતું.










