નૂતન વર્ષના પ્રારંભથી યાત્રાધામ અંબાજી ગબ્બર કોટેશ્વર ખાતે દર્શનાર્થી માઈ ભક્તોની ભારે ભીડ જામી હતી. જગતજનની જગદંબાના દર્શન બાદ હજારો ભક્તોએ નૂતન વર્ષના વધામણા કર્યા હતા. અંબાજીમાં ચો તરફ્ ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા. તો વળી અંબાજી મંદિરમાં દર્શન માટે લાંબી લાંબી કતારો જામી હતી.
અંબાજીના ગેસ્ટ હાઉસ ધર્મશાળા અને હોટલો સહિત ખાણી પીણીની બજારોમાં સારી ઘરાકી જોવા મળી હતી જગતજનની જગદંબાને નુતન વર્ષના પ્રારંભે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈએ આપેલ માહિતી મુજબ નૂતન વર્ષના પ્રારંભથી ત્રણ દિવસ સુધી બે લાખ 25 હજાર જેટલા માઈ ભક્તોએ જગદંબાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી તો વળી 137.44 ગ્રામ સોનું ભેટ સ્વરૂપે મળ્યું છે તો 236 ધજા માં અંબાના શિખરે ચડાવવામાં આવી છેઆશરે 250 જેટલા પદયાત્રી સંઘો નુતન વર્ષના પ્રારંભે અંબાજી આવી મા અંબાના દર્શન કર્યા હતા તો વળી 38000 જેટલા યાત્રિકોએ વિનામૂલ્યે ભોજન નો લાભ લીધો હતો રૂ.1,70,000 જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું નવા વર્ષ નિમિત્તે અંબાજી ટ્રસ્ટ દ્વારા અંબિકા ભોજનાલય ખાતે મિષ્ટાન સહિત નિશુલ્ક ભોજન આપવામાં આવેલ જેનો પણ મોટી સંખ્યામાં માઇ ભક્તોએ લહાવો લીધો હતો.

  • Follow us on: