- અંકલેશ્વરમાં PM ની વર્ચુઅલી ઉપસ્થિતિમાં
- 5 સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં
- મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપર થી 42 લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત ક્કરાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનક્ર અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા લખપતી દીદી કાર્યક્રમમાં, ભરૂચ જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની મહિલાઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધન કરીને નારીશક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો હતો.










