- માળિયા કોર્ટે આપેલી સજા સામે રાહત મેળવવા કરી હતી અરજી
- વચગાળાની રાહત મેળવવા કરાઈ હતી અરજી
- મારામારીના કેસમાં માળીયા કોર્ટે ફટકારી છે સજા
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેશોદ એપલેન્ટ કોર્ટે વચગાળાના જામીનની અરજી ફગાવી છે. માળિયા કોર્ટે આપેલી સજા સામે રાહત મેળવવા કેશોદ કોર્ટમાં અરજી કરી હતી. કેશોદ કોર્ટે અરજી ફગાવી દેતા ધારાસભ્ય વિમલ ચૂડાસમાને સજા પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલમાં રહેવું પડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માળીયા હાટીના કોર્ટ દ્વારા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહીત 4 લોકોને હુમલાની ઘટનામા 6 માસની સજા ફટકારવામાં આવી હતી. 2010ના મારામારી કેસમાં ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા દોષિત જાહેર કરાયા હતા. ત્યારે માળીયા કોર્ટે તેમને દોષિત જાહેર કરીને 6 માસની સજા સંભળાવી હતી.










