• દેશનું અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધાર્મિકતા વધશે

  • વર્ષના છેલ્લા દિવસથી શરૂ થતાં ગુરુ ભ્રમણ કરી 140 દિવસે વૃષભ રાશિમાં પ્રવેશશે
  • દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તથા લોકોમાં ધાર્મિકતાના ભાવની વધુ અસરો જોવા મળશે

વર્ષ 2023 પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ 2024ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.31 ડિસેમ્બર 2023ની સવારે ગુરૂમાર્ગી થઈને ભ્રમણ કરવાનું શરૂ કરશે અને તે 140 દિવસે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના લીધે ર0ર4ના મે મહિનામાં સૂર્યનો અને ગુરૂનો સંયોગ સર્જાશે જે ભારતને વધુ શક્તિશાળી બનાવશે. ઉપરાંત દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તથા લોકોમાં ધાર્મિકતાના ભાવની વધુ અસરો જોવા મળશે.

આ અંગેની વિગત એવી છે કે, રવિવારે 31 ડિસેમ્બર 2023નો છેલ્લો દિવસ છે ત્યાર પછી વર્ષ 2024 શરૂ થશે જે ભારત માટે ખુબજ શુભ રહેશે જે અંગે જયોતિષ વિજયનગર દેવશંકર ભટ્ટના દાવા મુજબ, રવિવાર 31 ડિસેમ્બરે ગુરૂ ભ્રમણ કરીને 140 દિવસ પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સંવત 2080ના ગ્રહોની માર્ગી, વક્રરી, ઉદય અને અસ્ત પણ ઘણો રોચક અને સંયોગ સર્જે તેવી શકયતા છે.

આગામી તા.18 મેથી સૂર્યનો અને ગુરૂનો સંયોગ સર્જાવાને યોગાનું યોગ તેના લીધે 2024નું વર્ષ ભારત માટે મહત્વનું સાબિત થશે તેમજ અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધાર્મિક ભાવ વધશે. તા.4 ફેબ્રુઆરી 2025માં ફરીથી માર્ગી થશે અને તે બ્રહશપતિ હિન્દુ વર્ષમાં વક્રરી માર્ગી ચાલે ચાલશે, આ ચાલથી ઘણા લાભો થવાની શકયતા છે ગુરૂની ચાલને આધારે વર્ષ 2024 અને 2025 વધુ સારા ફળ આપી શકે છે. તા.1 મેના રોજ ગુરૂ મેષ રાશિ છોડીને વૃષભ રાશીમાં પ્રવેશ કરશે. આમ 4 મહિનાના મેષના ગુરૂ માર્ગી ભ્રમણ ભારતની કુંડલીમાં ઉદીત થશે.

કંઈ- કંઈ રાશિને શુભ ફળ પ્રાપ્ત થશે

બ્રુહશપતિનો વૃષભ રાશીમાં પ્રવેશ યોગાનું યોગ પારાશરના સિધ્ધાંતમાં વૃષભ રાશી લગ્નની કુંડલીમાં શનિ રાજયોગ કરતાં સુચક છે ત્યારબાદ મેષ ગુરૂ માર્ગી રાશિઓમાં કેવુ ફળ આપશે તે માટે જયોતિષીઓ ભિન્ન મત ધરાવ છે. જોકે વૃશ્વિક, કુંભ, મીથુન અને કર્ક રાશિને શુભ ફળ આપશે, સિંહ, તુલા, ધન, મીન રાશિવાળા જાતકોને મિશ્રા ફળ આપી શકે છે.


  • Follow us on: