14 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહેલા સંજયગીરી ગોસ્વામીએ ભારતભ્રમણ સાયકલ પર કર્યું છે. અંબાજીમાં સંજયગીરીનો સન્માન સમારોહ યોજાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડ્રાઈવર કર્મીએ એક વર્ષની રજા રિપોર્ટ મૂકી સાયકલ ઉપર દેશ ભ્રમણ કરવા નીકળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના મૂળ જલોત્રા ના રહેવાસી સંજયગીરી ગૌસ્વામીએ છેલ્લા 18 વર્ષથી પોલીસ ખાતામાં ભરતી થયેલા છે. 14 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે, પણ હાલમાં આ સંજયગીરીએ ભારત ભ્રમણ માટે નીકળેલા સંજયગીરીએ ભારતભ્રમણની યાત્ર અંબાજી શરૂ કરેલી સાયકલ યાત્રા 12 જ્યોતિર્લિંગ, ચારધામ સહિતની યાત્રા અંબાજીથી પૂર્ણ કરી હતી. જેને લઇ પોલીસ અધિકારી સહીત પોલીસ કર્મીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી.
ચાલુ નોકરી એ એક વર્ષ ની રજા મૂકી ભારત ભ્રમણ માટે પોતાના પરિવાર ને મૂકી ને નીકળેલા સંજયગિરી ની હિંમત ને પણ બિરદાવી હતી જોકે આ સાયકલ સવાર સંજયગીરી એ જણાવ્યું હતું કે તેઓ એક વર્ષ દરમિયાન લગભગ 16 હજાર કિલોમીટરની યાત્રા કરી છે. જેમાં ખાસ કરીને ચારધામ,અમરનાથ, નેપાળના પશુપતિનાથ તેમજ 12 જ્યોતિલિંગના દર્શન કર્યા હતા.
સંજયગિરી એક વર્ષની રજા લઈને બાર જ્યોતિર્લિંગ, ચારધામ સહિત ભારતભ્રમણની યાત્રા પર નીકળ્યા હતા. આજે 212 દિવસે અંબાજી પરત પહોંચીને માતાજીના દર્શન કર્યા હતા. મળતી માહિતી મુજબ, અંબાજીથી યાત્રા શરૂ કરીને આજે અંબાજી ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા પણ સ્વાગત કાર્યક્રમમાં અંબાજી પહોંચ્યા હતા. સંજયગીરી ગોસ્વામીનો સન્માન સમારોહમાં તેમની હિંમતને પણ બિરદાવી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પણ સન્માન સમારોહમાં જોડાયા હતા.